વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

મહાભારત વિષે – દક્ષા વિ. પટ્ટણી

[થોડાં વર્ષો અગાઉ કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે યોજાયેલ ‘શિક્ષક, શિક્ષણ તથા સમાજ’ અને વર્તમાન પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં યોજાયેલ એક અદ્દભુત ‘શિક્ષકસત્ર’માં થયેલા પ્રવચનો પરથી ‘યાત્રા : રામથી શ્યામ તરફ’ નામનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં શ્રી મોરારિબાપુ, શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’, શ્રી મોતીભાઈ પટેલ, શ્રી ગુણવંત શાહ વગેરે વિદ્વાનોએ સુંદર પ્રવચનો કર્યા હતા. તેમાં દક્ષાબેન વિ. પટ્ટણીએ ‘મહાભારત વિષે’ બે પ્રવચનો કર્યા હતા, જેમાં એક પ્રવચન મહાભારતના પ્રસંગો વિશે અને બીજું વક્તવ્ય પ્રશ્નોત્તરી અંગેનું હતું. મહાભારત વિશેની પ્રશ્નોત્તરીનું વક્તવ્ય આ પુસ્તકમાંથી સાભાર અહીં લેવામાં આવ્યું છે. દક્ષાબેને ગાંધીજી પર પી.એચ.ડી કર્યું છે. તદુપરાંત ગાંધીસાહિત્ય અને અન્ય સાહિત્યના તેઓ ઊંડા આજીવન અભ્યાસી છે. તેમને સાંભળવા તે એક અનુપમ લ્હાવો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

શ્રીમદ ભાગવતમાં ધ્રુવસ્તુતિમાં એક શ્લોક છે :

यो़न्तः प्रविश्य मम वाचमिमां प्रसुफ्ताम्
योडन्तः प्रविश्य मम वाचम् ईमां प्रसुप्ताम्
संजीवयत्यखिल-शक्ति-धरः स्वधाम्ना ।
अन्यांश्च हस्त-चरम-श्रवण-त्वगादीन्
प्राणान् नमो भगवते पुरूषाय तुभ्यम् ।।

આખા શ્લોકનું ભાષાન્તર કરવાની જરૂર લાગતી નથી. મુખ્ય વાત આટલી જ છે કે જેણે મારા અન્તઃકરણમાં પ્રવેશ કરીને મારી સૂતેલી વાણીને જાગૃત કરી તે પરમતત્વને હું નમસ્કાર કરું છું. આપણે વાતો શરૂ કરીએ ત્યારે અંદરથી શું બહાર નીકળશે તેની ખબર નથી હોતી. ગઈ કાલની વાતોમાં તમને આનંદ થયો તે મારું અને તમારું સદભાગ્ય. બાકી કોને ખબર કે કોણે વાવેલાં બીજ ઊગી નીકળ્યાં હશે !

For further reading
Please find an attached following link

http://www.readgujarati.com/2010/12/17/mahabharat-vishe/

ડિસેમ્બર 19, 2010 - Posted by | સાહિત્ય

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Leave a comment